Date Archives January 2019

ધીરજ , યોજના અને અનુસરણ

વનમાં મોટા ભાગના પશુ પક્ષી પેટ ભરવા શિકાર કરે છે આ શોધમાં ક્યારેક સફળ થાય છે તો ક્યારેક અસફળ. પરંતુ એક શિકારી છે જેનો હુમલો ક્યારેય અસફળ નથી જતો. એ છે બાજ. બાજ હંમેશા સફળ એટલા માટે થાય છે કારણકે તેના દરેક શિકારની પાછળ એક યોજના હોઈ છે. તે પોતાના શિકારને જોઈને તરત હુમલો નથી કરતો, પહેલા તેના પર નજર બનાવી રાખે છે. કલાકો , દિવસો સુધી સતત તેની ઊંચાઈએ થી તેની આજુ બાજુ ઘૂમે છે. શિકારને તેની જાણ પણ નથી થવા દેતો અને પછી ઉચિત સમયે ઝપટે છે અને… Read More

પોતાની ખામીઓ ક્યારેય ઉજાગર ન કરો..

રુદ્રાક્ષ, કહેવાય છે કે તે મહાદેવના આંસુ છે. જ્યારે આંસુ આવે ત્યારે તેને જાતેજ લૂછી લો. કેમકે બીજા કોઈને આંસુ લુછવા આપ્યા તો તેવો તેનો દૂર ઉપયોગ કરશે. અન્ય લોકો આપણી ખામીઓને જાણીને પહેલા સહાનુભૂતિ દેખાડશે અને પછી બદલામાં ઘણું બધું લઇ જશે. એટલા માટે આપણી ખામીઓને ક્યારેય આંસુ બનવા ન દો. આપણી ખામીનું જ્ઞાન કોઈને ન થવા દો. સ્વયં પર એકાંતમાં કાર્ય કરો અને આપણી ખામીને જ આપણી તાકાત બનાવો. મહાદેવના રુદ્રાક્ષની જેમ આપણા આંસુને, આપણી ખામીઓને એક અલગ રૂપ આપો. યાદ રાખો જો આપણી ખામીઓ બીજાને બતાવી તો… Read More

સંગત એવી રંગત…

પાણીનું ટીપું જો સળગતા તવા ઉપર પડે તો વરાળ બનીને ઉડી જાય છે. પણ આજ પાણીનું ટીપું કમળના ફૂલ ઉપર પડે તો પ્રકાશમાં મોતીની જેમ ચમકે છે. જો કોઈ મૃત વ્યક્તિના મુખમાં પડે તો ગંગા જળ બની મોક્ષ દાતા બની જાય છે. પરંતુ…. જો આજ ટીપું કોઈ સાપના મુખમાં પડે તો ઝેરમાં ભળીને પોતે ઝેર બની જાય છે. જળ તત્વ એક જ છે પરંતુ અંતર છે તો માત્ર સંગતનો. સંગત જો એક પાણીના ટીપાનું નશીબ બદલી નાખે છે તો માણસનું કેમ નઈ? આથી હંમેશા સારી સંગતની જ પસંદગી કરો, કેમકે… Read More

આ જિંદગી છે, ચાલતી જ રહેશે…

કોઈ ચાલે કે ના ચાલે ભાઈ આ જિંદગી છે એતો ચાલતી જ રહેશે. કોઈ સારા મળશે, કોઈ ખરાબ મળશે. કોઈ સાથે રહેશે તો કોઈ દૂર. આતો જિંદગી છે ભાઈ ચાલતી જ રહેશે. કોઈ પ્રિય બનશે તો કોઈ અપ્રિય. પણ સાહેબ આ જિંદગી છે એતો ચાલતી જ રહેશે. કોઈક ક્ષણ જીવનની સારી યાદ-ગીરી બનશે, તો કોઈ ક્ષણને ભૂલવા તો છે પણ યાદ-બની રહેશે. આ તો જિંદગી છે એતો ચાલતી જ રહેશે. કેટલાક પ્રશ્નોના જવાબો પુરા મળશે તો કેટલાકના જવાબો અધૂરા રહેશે પણ ભાઈ આ તો જિંદગી છે એતો ચાલતી જ રહેશે…. Read More

પ્રતિભાનું સમ્માન…

ક્યારેય વિચાર્યું છે તમે કે હીરાને હંમેશા મુકૂટમાં ધારણ કરવામાં કેમ આવે છે? કેમ તેને ઘરેણાં બનાવીને પહેરવામાં આવે છે? કેમ તેને રસ્તામાં ફેંકી નથી દેતા? કેમ કે વાસ્તવિકતામાં તો તે પથ્થર જ છે ને..! શુ માત્ર એટલા માટે કે તે જોવામાં સુંદર છે? સુંદર તો ફૂલોની પાંદડી પણ હોઈ છે તો પછી તેને કેમ રસ્તામાં પાથરવામાં આવે છે? તેને કેમ પગની નીચે કચડી નાખવામાં આવે છે? તેનું કારણ છે હીરાની કઠોરતા. જો હીરાને પગની નીચે કચડવાનો પ્રયત્ન કર્યો તો પગની એ દુર્દશા કરી નાખશે કે ફરી પગ રાખવા માટે… Read More

નેતૃત્વ હંમેશા એક વ્યક્તિની પાસે જ હોવું જોઈએ.

નેતૃત્વ હંમેશા એક જ હોવું જોઈએ. આપણા શરીરને જુવો બે આંખો, બે હાથ, 32 દાત, 20 આંગળી અંગુઠા સાથે, સેંકડો તંત્ર પણ મગજ એક. અને આ એક જ મગજના નિર્દેશ પર આપણે સુવ્યવસ્થિત અને નિયમિત કર્યો કરી શકીએ છીએ. પરંતુ જ્યારે મગજ એક થી વધારે હોય તો શરીર કાતો વિકૃત થઈ જાય છે કાતો રોગી. એટલા માટે આંખ, કાન, નાક, પગની જેમ સહાયકો અને સુજાવ આપવા વાળા અનેક રાખો. પરંતુ નેતૃત્વ અને નિર્ણય લેવાનો અધિકાર માત્ર એક વ્યક્તિ પાસે હોઈ તો ધ્યેયની પ્રાપ્તિ અવશ્ય થાય છે. -ચાણક્ય નીતિ